લાંબા સમયથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો માટે એક અગત્યના સમાચાર છે. 7 સપ્ટેમ્બરના રોજ થયેલ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઈ વાઘાણી દ્વારા આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં ભરતી તથા પરીક્ષા અંગેની જાહેરાત કરવામાં આવી છે.

જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ જાહેરાતો
આ કોન્ફન્સમાં જીતુભાઈ વાઘાણીએ નીચે મુજબની જાહેરાતો કરી હતી:

- શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરવાના શરૂ થશે. પરંતુ આ ભરતી અંગે કોઈ સ્પષ્ટ તારીખ કરવામાં આવી નથી.
- જિલ્લાફેર બદલીનો નિર્ણય હાલ કોર્ટમાં છે, નિર્ણય આવતા જ ખાલી પડેલી જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
- TET ની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી આવેલ નથી, તો ટૂંક સમયમાં ભરતી અંગે પણ જાહેરાત કરવામાં આવશે.
છેલ્લે, જીતુભાઈ વાઘાણીની આ જાહેરાત અંગે તમારા શું મંતવ્ય છે, તે કૉમેન્ટમાં લખીને જણાવશો.